સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જૉવા વાળા કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જૉવા વાળાની સંખ્યા વધારે : વડાપ્રધાન મોદી

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે વિવિઘ વિકાસ યોજનાઓ ના લોકાર્પણ, ઉદઘાટન અને ખાતમુહુર્ત પ્રસંગે આવેલ દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પોતાનાં વક્તવ્ય માં ગુજરાત ના વિકાસ ની વાત કરી હતી, ગુજરાત તમામ બાબતો મા વિકાસ ની હરણફાડ ભરી રહયો હોવાનું જણાવ્યું હતું, ખાસ આ પ્રસંગે વડાપ્રધાન ના ઉદબોધન માં અમેરિકા ના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને ગુજરાત ના સ્ટેચ્યુ ઓફ યુનિટી ની તુલના કરવામાં આવી હતી.

વડાપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાત પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી રહ્યુ છે, અમેરિકા માં આવેલ ન્યુયોર્ક ખાતે ના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જૉવા માટે ઓછા લોકો જાય છે, એનાં કરતાં તો ગુજરાત ના સ્ટેચ્યુ ઓફ યુનિટી જૉવા વાળા લોકો ની સંખ્યા વધારે હોવાનું તેઓએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here