સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં જે રીતે લોહા અભિયાનમાં દેશના લોકોએ એકસાથે યોગદાન આપ્યુ ઐતિહાસિક ધટના છે જે આવનારી પેઢીને સદીઓ સુધી ભારતની એકતાનો સંદેશ આપસે – કેન્દ્રીય સ્ટીલમંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહ.

કેવડીયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

સ્ટીલ મંત્રાલયની સંસદીય સમિતીની બેઠકમાં હાજરી આપવા કેન્દ્રીય સ્ટીલમંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી અર્પી

કેવડીયા ખાતે આયોજીત બેઠકમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય સ્ટીલમંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી અર્પી હતી.

કેન્દ્રીય સ્ટીલમંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની પાદપૂજા કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલ પ્રતિમાના હદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો.તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.
તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધપોથીમાં નોંધ્યુ હતુ કે, એકતા પ્રતિમા સ્થળે આવીને ખુબ ગૌરવ અનુભવું છું. સ્ટેચ્યુના નિર્માણમાં જે રીતે લોહા અભિયાનમાં દેશના લોકોએ એકસાથે યોગદાન આપ્યુ હતુ આ એક ઐતિહાસિક ધટના છે અને આ ધટના આવનારી પેઢીને સદીઓ સુધી ભારતની એકતાનો સંદેશ આપતી રહેશે. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સરદાર સાહેબે રાખી હતી.,તેને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાકાર કરી રહ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની રાહબરી હેઠળા જે કાર્ય થયુ છે જે ખરેખર અદ્રિતિય છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ થઇ રહેલા વિકાસથી હુ ખુબ જ પ્રભાવિત છું.આપણે બધાએ સાથે મળી દેશને મજબૂત અને શ્રેષ્ઠ બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ. ભારતનાં દરેક નાગરિકને હું કહેવા માંગીશ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરે.

મંત્રીઓનું આગમન થતા ગાઇડમિત્ર દ્વારા સંસ્કૃત ભાષામાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ, જે બાદ મંત્રી એ પ્રસન્નતા વ્યકત કરી હતી. આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષતા અને સ્થાનિકોને મળી રહેલ રોજગારી બાબતે જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે ઝીણવટભરી માહિતી આપી હતી.
આ ઉપરાંત મંત્રી એ જંગલ સફારી, આરોગ્ય વન,એકતા નર્સરી,કેકટસ ગાર્ડન.બટરફ્લાઇ ગાર્ડન, શ્રેષ્ઠ દ્રશ્યમ,વિશ્વ વન,વેલી ઓફ ફ્લાવર સહીતનાં પ્રવાસીય સ્થળોની મુલાકાત લીધી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર નિલેશ દુબે એ મંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here