શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-
મન કી બાત એટલે આદરણીય વડાપ્રધાન સાથે રાષ્ટ્રની વિકાસયાત્રાનું ગૌરવ”જન-જનને માર્ગદર્શિત કરતો તથા વિશેષ લોકોના સામર્થ્યને બિરદાવતો માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો “મન કી બાત” કાર્યક્રમનું 100મું સંસ્કરણ શહેરા નગરપાલીકા હોલ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, શહેરા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબની વિશેષ ઉપસ્થિતીમાં રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યઓ,તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ,નગરપાલિકા સદસ્યશ્રીઓ, સંગઠનના હોદેદારશ્રીઓ, સરપંચશ્રીઓ,તથા સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.