મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હોળી ધુળેટીના પર્વને લઈ ટાઉન.પી.આઈ. ડી.કે વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. હોળી ધુળેટી અને મુસ્લિમોના તહેવાર સબે બરા શાંતિ અને ભાઈચાર સાથે ઉજવાય તે માટે બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકમાં સાઇબર ક્રાઇમનો ભોગ બનતા લોકો માટે 24 કલાકમાં ડાયલ 19 30 ઉપર જાણ કરવા જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં રથયાત્રા કમિટીના પૂર્વ પ્રમુખ નાનાલાલ પ્રજાપતિ હોદ્દેદાર ભરતભાઈ ભાવસાર અને રમેશભાઈ કડિયા તેમજ સામાજિક કાર્યકર જયેશભાઈ શાહ. સરકારી તાજીયા કમિટીના ઝાકીરભાઇ બેલીમ. સબીર બેલીમ. વસીમભાઈ શેખ. આર. કે ફોરમેન અને કસ્બા તાજીયા કમિટીના ઇમરાન જમાદાર તેમજ અગ્રણી બાબુભાઈ મલેક. પત્રકાર ઈમ્તિયાઝ ચિસ્તી.તોસીફ શેખ. ઇરફાન શેખ અને ઈશાકભાઈ પઠાણ સહિતના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.