મોડાસા ટાઉનહોલ ખાતે ગુર્જર સાહિત્ય ભવન અમદાવાદ દ્વારા પ્રકાશિત પુસ્તકોનું વિમોચન કાર્યક્રમ યોજાયો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા ટાઉનહોલ ખાતે તારીખ 11 મે ના દિવસે બપોરના ચાર કલાકે ગુર્જર સાહિત્ય ભવન અમદાવાદ દ્વારા પ્રકાશિત યુવા સર્જક ઈશ્વર પ્રજાપતિ દ્વારા લિખિત પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ ના જીવન કવન આધારિત કોફી ટેબલ બુક અને દેવેન્દ્ર પટેલ જીવન સફર તથા પોલીસના સાહસની દિલ ધડક કથાઓ આધારિત પુસ્તક કર્તવ્ય એમ બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. સમારંભ ના અધ્યક્ષ ભિખુસિહ પરમાર અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી. મુખ્ય મહેમાન શ્રી દેવેન્દ્રભાઈ પટેલ અતિથિ વિશેષ પ્રતીક અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પરીક . જિલ્લા વિકાસ અધિકારીકમલ શાહ. અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત. મોડાસા નગરપાલિકા પ્રમુખ. ઉદ્યોગપતિ અશોકભાઈ પટેલ તેમજ માસુમ દોસ્ત લેખક ઉપસ્થિત રહી પ્રસંગને અનુરૂપ ઉદ્બબોધન કર્યું હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં મોડાસાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here