ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-
આજરોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પંચાયત સેવાના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે પસંદગી પામેલા ઉમેદવારો ને નિમણુંકપત્ર એનાયત સમારોહ યોજાયો હતો.
નવનિયુક્ત થયેલા કર્મયોગીઓ સ્પર્ધાત્મક પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરીને લોકસેવાના યજ્ઞમાં ભાગીદાર થયા હતા. આ2સમયે મુખમંત્રીએ જણાવ્યું હતું કે ગાંધીનગર રાજ્ય નું પાટનગર છે એટલે કે રાજ્યનો આત્મા ગાંધીનગર છે એમ કેહવું યોગ્ય રહેશે.
આજે નવીન નિર્માણ થનાર ગાંધીનગર જિલ્લા પંચાયત ભવન અને દહેગામ તાલુકા પંચાયત ભવનનું માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ્ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લા પંચાયતનું મકાન સમગ્ર રાજ્ય માટે મોડેલ બની રહે તેવી અપેક્ષા છે. તે માટે શુભેચ્છા પાઠવું છું.