મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતો અને હરિભકતો સહિત પંચમહાલ જિલ્લામાં સાત દિવસનું સત્સંગ વિચરણ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતો અને હરિભકતો સહિત સાત દિવસના સત્સંગ વિચરણાર્થે પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પધાર્યા છે. શહેરા તાલુકાના ધાંધલપુર શ્રી સ્વામિનારાયણ મંદિરે તેઓશ્રીનું શુભાગમન થતાં મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને હરિભકતોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સંતો અને હરિભકતોએ સમીપ દર્શનનો લ્હાવો લીધો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર – ધાંધલપુર, મોરડુંગરા અને વાઘજીપુરના વાર્ષિક પાટોત્સવ, અન્નકૂટ દર્શન, વિવિધ સદ્ ગ્રંથોની પારાયણો, કીર્તન ભક્તિ, સંતવાણી અને જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેનો લાભ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના હજારો હરિભક્તો લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here