આજરોજ તારીખ 30 માર્ચના રોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં રામ નવમી પરવે નિમિત્તે બોડેલી નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી રામ નવમી યાત્રા નિમિત્તે બોડેલીના ઢોકલીયા રામજી મંદિર થી અલીપુરા ચોકડી બજારના મુખ્ય માર્ગ પર થી અલીપુરા આઇ શ્રી ખોડિયાર માતાજીના મંદિર સુધી ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી બોડેલી નગરમાં શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી આ શોભા યાત્રા નિહારવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે બોડેલી પોલીસ દ્વારા પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.