મોરબી વીસી પરા વિસ્તારના મારુતિ મિત્ર મંડળના સભ્યો શ્રીરામ જન્મ મહોત્સવમાં જોડાયા

મોરબી, આરીફ દીવાન :-

મોરબી અહીં આવેલા વીસી પરા હાઉસિંગ બોર્ડ ખાતે મારુતિ મિત્ર મંડળ ના સર્વે કાર્યકરો હોદ્દેદારો યુવાનો વૃદ્ધો મહિલાઓ હિન્દુ મુસ્લિમ સમાજના વિવિધ કાર્યક્રમો અંતર્ગત ધાર્મિક કાર્યક્રમમાં વાર તહેવારે તત્પર રહે છે વિવિધ જુદા જુદા કાર્યક્રમો એકતા ના પ્રતીક કરી ધાર્મિક જનોની હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે તારીખ 30 3 – 2023 ના રોજ શ્રી રામ જન્મ મહોત્સવ નિમિત્તે સર્વે હિન્દુ સમાજ દ્વારા શ્રીરામ જન્મ જયંતી નિમિત્તે સર્વે મારુતિ મિત્ર મંડળ મોરબી તેમાં જોડાવ્યું છે અને શ્રીરામના આશીર્વાદ પ્રાપ્ત કરવાના પ્રયાસો સાથે ધર્મ પ્રેમીઓમાં ઉત્સાહભેર શ્રી રામ મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો પૂજા પાઠ પ્રાર્થના સાથે સાથે પ્રસાદનો કાર્યક્રમ રામ ભક્તો દ્વારા મોરબી શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલી રહ્યો છે ત્યારે વીસીપરા મારુતિ મિત્ર મંડળ હાઉસિંગ બોર્ડ દ્વારા શ્રીરામ મહોત્સવ નિમિત્તે સમા કાંઠે હાઉસિંગ બોર્ડ શ્રી મહારાણા પ્રતાપસિંહના સ્ટેચ્યુ પાસેથી શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે તેમાં વીસીપરા હાઉસિંગ બોર્ડ મારુતિ મિત્ર મંડળના રામ ભક્તો પણ જોડાયા છે તે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here