પૂછપુરા ગામે 32 વર્ષીય પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર કપાસમાં છાટવાની ઝેરી દવા પીધી

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

મળતી માહિતી અનુસાર તિલકવાડાં તાલુકાના પૂછપુરા ગામની એક 32 વર્ષીય પરિણીત મહિલા નીતાબેન વજેસભાઈ તડવી નાઓ આજરોજ સવાર ના 10 વગયા ના અરશા માં પૂછપુરા ગામે પોતાના ઘરેજ કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાટવાની ઝેરી દવા પી લીધી હતી જેની જાણ તેઓના સાસુ સુશીલાબેન કાંતિભાઈ તડવી ને થતા તેઓ નીતાબેન ને તાત્કાલિક તિલકવાડાં સામુહિક આરોગ્ય કેન્દ્ર માં લાવ્યા હતા જ્યાં તેઓની ટૂંકી સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે તેઓને રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ ભાનમાં હોવાનું જાણવા મળેલ છે.

સદર બનાવ ની જાણ તિલકવાડાં પોલીસ મથકે થતા તિલકવાડાં પોલીસ દ્વારા જાણવા જોગ નો ગુનો નોંધી ને આગર ની તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here