પંચમહાલ : બાહી કુમાર શાળામાં દાતાશ્રી બામણીયા લીલાવતી બેન ધીરુભાઈ તરફથી શાળાને વોટર કુલર આપવાની જાહેરાત કરવામાં આવી

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

બાહી કુમાર શાળામાં શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન શ્રી ફાલ્ગુન પંચાલના હસ્તે બાલવાટિકા ,આંગણવાડી અને ધોરણ ૧ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ અધિક કલેકટરશ્રી ગોપાલચંદ્ર બામણીયા અને તેમની ટીમ શ્રી અશોકસિંહ બી. સોલંકી, શ્રી ગણપતસિંહ સોલંકી, શ્રી જીતેન્દ્રસિંહ સોલંકી, શ્રી તુષાર કુમાર દરજી, શ્રી જયદીપસિંહ કે. સોલંકી, શ્રી હિતેન્દ્રસિંહ બી. સોલંકી તરફથી સ્કૂલબેગ, નોટ બુક્સ ,કંપાસ, દેશી હિસાબ, પેન, શૈક્ષણિક કીટનું પ્રવેશ મેળવનાર બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું.

દાતાશ્રી બામણીયા લીલાવતિબેન ધીરુભાઈ (એન.આર.આઈ. કેનેડા ) તરફથી શાળાને વોટર કુલર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

શ્રી જયદ્રથસિંહ સોલંકી તરફથી તેમના પિતાશ્રીના સ્મરણાર્થે વોટરબેગ અને શ્રી વિજયકુમાર પરમાર તરફથી ટેબલ ફેન આપવામાં આવ્યો હતો. તમામ દાતાશ્રીઓનો બાહી કુમારશાળા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

શાળા પ્રવેશ કાર્યક્રમમાં ધોરણ ત્રણ થી આઠના ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયેલા બાળકોને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યું હતું. દાતાશ્રીઓનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અગ્રણીઓ શ્રી પી.ડી સોલંકી, શ્રી પરાક્રમસિંહ સોલંકી, શ્રી દશરથસિંહ સોલંકી, શ્રી મહિપાલસિંહ સોલંકી, શ્રી ચંદ્રવીરસિંહ સોલંકી, શ્રી પ્રમોદ સિંહ સોલંકી , શ્રી હિતેન્દ્રસિંહ સોલંકી,શ્રી હસમુખભાઇ વણકર, શ્રી મનુભાઈ વણકર, શ્રી દુધાભાઈ વણકર ,શ્રી અર્જુનસિંહ આહિર , એસએમસીના અધ્યક્ષ અને સભ્યશ્રીઓ,ગ્રામ પંચાયતના સરપંચશ્રી ,તાલુકા પંચાયત સદસ્યશ્રી અસ્મિતાબેન તેમજ સભ્યો,ગ્રામજનો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here