પંચમહાલ જિલ્લામાં 10મી માર્ચનાં રોજ આઈટીઆઈ, કાલોલ ખાતે એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા, કાલોલ ખાતે આવતીકાલે તા. 10 માર્ચ, 2022નાં રોજ એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અન્યવે યોજાનાર જિલ્લા કક્ષાનો આ ભરતી મેળો સવારે 10.00 કલાકે યોજાશે, જેમાં જિલ્લાનાં વિવિધ એકમો વેકેન્સી સાથે હાજર રહેશે. આ મેળામાં 20 જેટલી કંપનીઓ 317 જેટલી વેકેન્સીઓ સાથે ઉપસ્થિત રહેશે. સીએટ, એમજી મોટર્સ, સુયોગ ઈલેક્ટ્રીકલ, ગુનેબો, આદિત્ય બિરલા, બીએસટીઓ, પોલિકેબ સહિતની કંપનીઓમાં ફિટર, ઈલેક્ટ્રીશિયન, વેલ્ડર, ટર્નર સહિતની જગ્યાઓ માટે ધોરણ 10 અને 12 પાસ તેમજ આઈ.ટી.આઈ પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે. આ મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોને તેમનાં જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહેવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગોધરાના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here