પંચમહાલ જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.05.12.2021 સુધી લંબાવાયો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમનો નાગરિકો વધુમાં વધુ લાભ લઈ શકાય તે હેતુથી તા. 01.12.2021થી તા.05.12.2021 સુધી સુધારણા કાર્યક્રમને લંબાવવામાં આવ્યો છે. આ સુધારણા કાર્યક્રમ અંતર્ગત 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા યુવાનો મતદાર તરીકે પોતાનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત, મતદાર ઓળખપત્રમાં રહેલી ક્ષતિ અને સરનામાને આ ઝુંબેશમાં સુધારી શકાશે. મતદારયાદીમાં નામ નોંધણી, નામ રદ્દ કરવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબધિત નિયત નમુનામાં ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારનાં મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ ઓફિસરોને હક્ક દાવાઓ રજુ કરી શકશે. ગત મહિનાનાં તા.01.11.2021 થી તા.30.11.2021 સુધીના સમયગાળા દરમિયાન મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ફોર્મ નં 6ના 39,813, ફોર્મ નં. 7નાં 13,566, ફોર્મ નં.8નાં 23,823, ફોર્મ નં-8 કનાં 2,249 ફોર્મ મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here