પંચમહાલ જિલ્લામાં આવતીકાલે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી

સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગો માટેની
યોજનાઓની માહિતી આપતો વેબિનાર યોજાશે

ગોધરા(પંચમહાલ),

૩ ડિસેમ્બરનો દિવસ વિશ્વભરમાં વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં પણ સમાજસુરક્ષા વિભાગ દ્વારા આવતીકાલે આ નિમિત્તે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ગૂગલ મીટ દ્વારા સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ દરમિયાન યોજાનારા આ વેબિનારમાં દિવ્યાંગો માટે કામ કરતી એનજીઓ, શિક્ષકો અને જાગૃત નાગરિકો જોડાશે. આ વેબિનારમાં જીલ્લામાં વસતા તમામ દિવ્યાંગ ભાઈ-બહેનોને સમાજ સુરક્ષા કચેરીની વિવિધ દિવ્યાંગ કલ્યાણલક્ષી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે તેમજ તેને લગતા પ્રશ્નો-સમસ્યાઓનું પણ સમાધાન કરવામાં આવશે. દિવ્યાંગ દિન નિમિત્તે ગાંધી બહેરા-મૂંગા શાળાના બાળકો એક ઓનલાઈન ચિત્રસ્પર્ધામાં ભાગ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘી રાઇટસ ઓફ ૫ર્સન્સ વીથ ડિસેબીલીટીઝ એકટ -૨૦૧૬ના કાયદા હેઠળ હવે ૨૧ પ્રકારની વિકલાંગતા ઘરાવતા લોકોને સમાજ સુરક્ષા કચેરીની વિવિઘ યોજનાઓનો લાભ મળવાપાત્ર છે. ૨૧ પ્રકારની વિકલાંગતાની કેટેગરીઓ આ મુજબ છે. (૧) અસ્થિવિષયક (૨) સેરેબ્રલ પાલ્સી (૩) એસિડ હુમલાનો ભોગ બનેલ વ્યકિત (૪) વામનતા (૫) સ્નાયુક્ષય (૬) રકતપિત્તમાંથી સાજા થયેલ (૭) બહુવિઘ સ્કલેરોસિસ (૮) હિમોફીલીયા (૯) થેલેસેમીયા (૧૦) સિકલસેલ એનેમિક (૧૧) પાર્કિન્સન (૧૨) ક્રોનિક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર (૧૩) માનસિક અસક્ષમ (૧૪) માનસિક બીમાર (૧૫) અંઘત્વ (૧૬) લો-વિઝન (૧૭) ચોકકસ લર્નિંગ અશકતતા (૧૮) વાણી અને ભાષાની અશકતતા (૧૯) સાંભળવાની અશકતતા (૨૦) ઓટીઝમ (૨૧) મલ્ટી૫લ અસક્ષમતા જેવી વિકલાંગતામાં ૪૦ ટકા કે તેથી ઉ૫રની વિકલાંગતા ઘરાવતા હોય તેવા વ્યકિતઓને સમાજ સુરક્ષા કચેરીની યોજનાઓ જેવીકે મફત મુસાફરી બસ પાસ યોજના,દિવ્યાંગ સાઘન સહાય યોજના,દિવ્યાંગ લગ્ન સહાય યોજના,સંત સુરદાસ આર્થિક સહાય યોજના (૮૦ ટકા વિકલાંગતા હોય તેમના માટે), દિવ્યાંગ શિષ્યવૃતિ યોજના તથા U D I D કાર્ડ યોજનાની તમામ દિવ્યાંગજનોને આ યોજનાઓનો લાભ મળવાપાત્ર છે. તે માટે હવે ઘરે બેઠા https://esamajkalyan.gujarat.gov.in/ ઉ૫ર ઓનલાઇન અરજી ૫ણ કરી શકાય છે અને તેમાં કરેલ અરજીનુ સ્ટેટસ ૫ણ જાણી શકાય છે અથવા રૂબરૂ સમાજ સુરક્ષા કચેરીનો સં૫ર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here