ગોધરા, (પંચમહાલ) નૈનેસ સોની :-
જીલ્લા તિજોરી કચેરી, પંચમહાલ ગોધરા ખાતેથી IRLA યોજના હેઠળ પેન્શન મેળવતા પેન્શનરો જે આવકવેરા કપાત હેઠળ આવતા હોઇ તેવા પેન્શનરોએ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના રોકાણ અંગેની વિગતો તથા આવકવેરા હેઠળ કપાતપાત્ર રકમની વિગતો અત્રેની કચેરીએ રજુ કરવાની રહેશે. અન્યથા કચેરી દ્વારા નિયત કપાત કરી લેવામાં આવશે, જેની આવકવેરા કપાત હેઠળ આવતા પેન્શનરોએ નોંધ લેવા માટે જિલ્લા તિજોરી અધિકારીશ્રી પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.