ગોધરા, (પંચમહાલ) ઈરફાન શેખ :-
સમગ્ર ભારતમાં ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે, ત્યારે રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કેવા ગામે આંગણવાડી અને શાળા ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ હતી. ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત પંચમહાલ જિલ્લાના નાગરિકો સ્વયંભૂ સફાઈ અભિયાનમાં જોડાઈ રહ્યા છે.
પંચમહાલ જિલ્લામાં તા.૧૫ ઓક્ટોબરથી લઈને ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ સુધી અલગ અલગ સ્થળો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાનની ઝુંબેશ હાથ ધરાશે.મહિનાના દર રવિવારે અલગ અલગ થીમ આધારિત લોકભાગીદારી સાથે ચોક્કસ સ્થળો ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે.આ સમય દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સરકારી કચેરીઓ ખાતે,નગરપાલીકા વિસ્તારમાં,ગ્રામ્ય પંચાયતો,આરોગ્ય કેંદ્ર,બસ સ્ટેશનો સહિતના સ્થળોએ સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવશે.