પંચમહાલ ખાતે આગામી ૧૨ સપ્ટેમ્બરના “પ્રધાનમંત્રી એપ્રેન્ટિસ ભરતી” મેળો યોજાશે…

ગોધરા, (પંચમહાલ) સંજય સોલંકી :-

પંચમહાલ જીલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ ભરતી મેળો આઈ.ટી.આઈ, કાલોલ અને આઈ.ટી.આઈ,હાલોલ ખાતે તા.૧૨.૦૯.૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી શરૂ થનાર છે, જેમાં જિલ્લાના વિવિધ એકમો તેઓની વેકેન્સી સાથે હાજર રહેશે.

આ ભરતી મેળામાં આઈ. ટી આઈ પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે. આ મેળામાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોને તેઓના જરૂરી પ્રમાણપત્ર અને તેની નકલો સાથે રૂબરૂ હાજર રહેવું.સદર ભરતી મેળામાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો https://dgt.gov.in/appmela2022/candidate_registration.php લિંકમાં રાજ્ય ગુજરાત અને જિલ્લો પંચમહાલ પસંદ કરી રજીસ્ટ્રેશન કરીને ઓનલાઈન નોંધણી કરાવી શકે છે તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અધિકારીશ્રી એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here