નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી સરકાર ફળિયા ખાતે નવરાત્રી મહોત્સવ નિમિતે ચૂંટણી પંચ ના આદેશ ને અનુલક્ષીને ઈ વી એમ વિવિપેટ મશીન ની સમજ લોકો સુધી પહોંચાડવામાં આવી છે આ કાર્યક્રમ જનજાગૃતિ માટે રાખવામાં આવ્યો હતો જે સરકાર ફળિયા ખાતે નવરાત્રીના નવે નવ દિવસ આ કાર્યક્રમ રાખવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું અને વિવિપેટ મશીન ની સમજ લગભગ ૫૦ કરતા વધુ વ્યક્તિઓએ લીધી હતી અને જે સમજણ માટે અધિકારી આવ્યા હતા નાયબ મામલતદાર શ્રી વિજયભાઈ એમને ઊંડાણ પૂર્વક લોકોને સમજાવ્યા હતા અને લોકોએ ઈ વી એમ વિવિપેટ નો કઈ રીતે ઉપયોગ કરવો તે ધ્યાન આપી સમજ્યા હતા અને આ રીતે ડેમોટ્રેશન કરવામાં આવ્યુ હતુ અને લોકો સુધી આ સમજ પહોંચે તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ મા જે નવા મતદારો છે.
મહિલાઓ વૃધ્ધો તેમને વિવિપેટ મશીન થી કઈ રીતે વોટ આપવો તેની સમજણ આપવામાં આવી હતી અને લોકોએ વિવિપેટ થી કઈ રીતે વોટ આપવો તેને સમજવા ટોળા ભેગા થયા હતા અને સારી રીતે સમજ્યા હતા આ રીતે નવરાત્રી મહોત્સવ નિમિતે ઈ વી એમ વિવિપેટ મશીનની સમજ અપાઈ હતી.