નર્મદા જીલ્લામા કોરોના પોઝિટિવના 49 કેસ નોંધાયા જે સામે દવાખાના માથી 45 ને સાજા થતાં રજા અપાઈ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જીલ્લામા કુલ પોઝિટિવ કેસની સંખ્યાનો આંક 3530 ઉપર પહોંચ્યો

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૬૨ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૧૪૪, હોમ આઇસોલેશનમા ૭૨ દરદીઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૫૯ દરદીઓ સહિત કુલ-૩૩૭ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૭૮,૬૮૫ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૬૨૮ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૭ મી મે, ૨૦૨૧ ના રોજ સાંજે ૭:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૩૭ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૨ સહિત કુલ-૪૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા નો આંક 3530 ઉપર પહોંચ્યો છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૨ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલાં ૧૩ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૭૨ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૬૨ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૧૪૪ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૫૯ દરદીઓ સહિત કુલ-૩૩૭ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૪૩૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૦૮ સહિત કુલ-૧૪૪૦ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૭ મી મે, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૭૮,૬૮૫ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૬૨૮ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૫૦૪૫ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૪૯૬૬૨ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here