નર્મદા જીલ્લામાં જે વિસ્તારોમાંથી કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે એ તમામ વિસ્તારને સીલ કરાયા…

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

નર્મદામાં જીલ્લામાં કુલ 11 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં રાજપીપળા શહેરી વિસ્તારમાં રાજપુત ફળિયુ અને કોલીવાડ જુના કોટ વિસ્તારના વોર્ડને તેમજ કુંવરપુરા, વાઘેથા, શીશોદરા, ખડગદા, ડુંમખલ, ભૂતબેડા, બયડી,સેલંબા વગેરે જેવા ગામોનાં વિસ્તારોને સીલ કરાયા.

ગુજરાત અને મહારાષ્ટ્રની ધનશેરા બોર્ડર પાસે પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું.

લોકડાઉનના અમલમાં અપાયેલી શરતી આંશિક છુટછાટ સિવાયના લોકોને ઘરમાં જ રહી સુરક્ષિત રહેવા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીની હદયસ્પર્શી અપીલ

નોવેલ કોરોના વાયરસના સંક્રમણને રોકવા જાહેર કરાયેલા લોકડાઉનનો અમલ તા. ૩ મે, ૨૦૨૦ સુધી લંબાવવામાં આવ્યો છે, ત્યારે કોરોના વાયરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટેના રક્ષણાત્મક ઉપાયના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના માર્ગદર્શન અને રાહબરી હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહના સુચારૂ સંકલન દ્વારા જિલ્લા પ્રશાસન તરફથી કોવીડ-૧૯ ની વૈશ્વિક મહામારી સામે જિલ્લામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થઇ રહી છે.
તા.૧૭ મી એપ્રિલની સ્થિતિએ જિલ્લામાં કોરોના વાયરસના નોંધાયેલાં ૧૧ પોઝિટીવ કેસ બાદ તા. ૧૮ મી એપ્રિલથી આજે તા. ૨૧ મી એપ્રિલ, ૨૦૨૦ સુધી વધુ નવા કોઇ પોઝિટીવ કેસ નોંધાયા નથી. શહેર અને જિલ્લામાં પોઝિટીવ કેસ નોંધાયા છે તેવા વિસ્તારો અંતર્ગત રાજપીપલા શહેરી વિસ્તારમાં રાજપુત ફળીયું અને કોલીવાડ- જુનાકોટ વિસ્તારના વોર્ડને તેમજ કુંવરપુરા, વાઘેથા, સિસોદ્રા, ખડગદા, ડુમખલ, ભુતબેડા, બયડી, સેલંબા વગેરે જેવાં ગામોના વિસ્તારોને સીલ કરાયા છે તે તમામ વિસ્તારોમાં જિલ્લા પ્રશાસન તરફથી સઘન બંદોબસ્ત ગોઠવાયા ઉપરાંત જિલ્લા પોલીસતંત્ર તરફથી પણ સઘન પેટ્રોલિંગ દ્વારા ચાંપતી નજર રાખીને લોકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. તેની સાથોસાથ જિલ્લા પોલીસ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ ફ્લેગમાર્ચ પણ થઇ રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની ધનસેરા બોર્ડર પાસે પણ પોલીસ દ્વારા સઘન ચેંકીગ કરવામાં આવી રહ્યું છે.
નર્મદા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી લોકડાઉનના અમલમાં કેટલીક શરતોને આધિન રહીને કેટલીક બાબતોમાં આંશિક કેટલીક છુટછાટ અપાઇ છે તે સિવાયના લોકોને લોકડાઉનના અમલ દરમિયાન બિનજરૂરી ઘરની બહાર ન નિકળવા અને ઘરમાં જ રહીને સુરક્ષિત રહેવાની સાથે સમાજ અને દેશની ઉત્તમ સેવાની આ તકમાં સહયોગી બનવા રાજપીપલા શહેર અને સૌ નર્મદા જિલ્લાવાસીઓને જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ હદયસ્પર્શી અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here