રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
નર્મદા જીલ્લા માં આજરોજ સવારે મુસલધાર વરસાદ ખાબકતા ખેતીના પાક કેળ, સહિત શેરડી તેમજ કેરી ને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે આજરોજ ગરૂડેશ્વર તાલુકા ના વેલચંડિ ગામે એક ઍક ખેડુત ના દુધાળા પશુ ઉપર વીજળી પડતાં તેનું મોત નિપજ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
વેલચંડી ગામ ખાતે રહેતા રાકેશભાઇ મંગાભાઇ વલવી નામના આદિવાસી ખેડુત ના ઘર સામે તેના આંગણા માંજ દુધાળી ભેંસ બાંધી હતી ત્યારે સવારે ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો તેવામાં આ ભેંસ ઉપર આકાશ માથી વીજળી પડતાં ભેંસ નુ ત્વરિતજ મોત નિપજ્યું હતું. જોકે સદનસીબે કોઈ મોટી દુઘર્ટના સર્જાઈ નહોતી.