નર્મદા જીલ્લાના ડેડીયાપાડા ખાતે AAP નો જન સંવાદ કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં જન મેઘની ઉમટી

ડેડીયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

આમ આદમી પાર્ટીના જન સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત જન મેદનીએ ભાજપા સહિત કાઁગ્રેસ અને BTP ની ચિંતા મા વધારો કર્યો

ચૈતરભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ નાં નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

BTP છોડી આમ આદમી પાર્ટીમા જોડાયેલ ચૈતર વસાવાને વિધાનસભા ઉમેદવાર બનાવાય તો કોને નફો નુક્સાનના રાજકિય પંડિતો ના ગણિત મંડાયા

નર્મદા જીલ્લાના દેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કેબિનેટ મંત્રી અમન અરોરા ની ઉપસ્થિતિમાં પારસી ટેકરા થી રેલી કાઢી બિરસા મુંડા ચોક થઈ વેરાઈ માતાના મંદિરે પહોંચી હતી ત્યારબાદ ત્યાં પંજાબના કેબિનેટ મંત્રી અમન અરોરા દ્વારા જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. જન સંવાદ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી દ્વારા કેજરીવાલ સરકાર ની શિક્ષણ, વીજળી, રોજગાર, તેમજ આરોગ્ય લક્ષી યોજનાઓની પ્રસંશા કરી હતી. અને આવનાર વિધાનસભા ની ચૂંટણી માં મોંઘવારી, શિક્ષા, રોજગાર તેમજ આરોગ્ય જેવા મુદ્દા આમ આદમી પાર્ટીની પ્રાથમિકતા રહેશે નું મંત્રીએ જણાવ્યું હતું. આ સાથે કોંગ્રેસ અને બી.જે.પી. પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ આવનાર વિધાનસભા ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ ને કડી ટક્કર આપી ખૂબ સારું પ્રદર્શન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત જન મેદનીએ ચૈતરભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ નાં નારાઓ લગાવ્યા હતા જે નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

આમ આદમી પાર્ટી મા થોડા દિવસ પહેલા જ જોડાયેલ ચૈતર વસાવા નું ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં ખાસ્સુ વર્ચસ્વ રહ્યું છે, તેઓ BTP કે જે ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને તેમનાં પુત્ર ધારાસભ્ય મહેશ વસાવા ની પાર્ટી છે તે છોડી ને આમ આદમી પાર્ટી મા જોડાયા છે, તેમની સાથે મોટું જનસમર્થન હોય ને ડેડીયાપાડા વિધાનસભા બેઠક ઉપર જો આમ આદમી પાર્ટી તેઓને મેદાન મા ઉતારે તો ભાજપા સહિત કોંગ્રેસ અને BTP વચ્ચે ચતુષ્કોણીય જંગ જામશે, જેથી રાજકિય પંડિતો કોને નફો નુક્સાન પહોંચશે ?! પરિણામ શું આવે ?? ના અંક ગણિત મા લાગ્યા છે.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડૉ.કિરણભાઈ વસાવા સહ સંગઠન મંત્રી એસ.સી. એસ.ટી.ગુજરાત પ્રદેશ , ચૈતરભાઈ વસાવા , નિરંજન વસાવા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ, ધર્મેન્દ્ર ગોહિલ પ્રમુખ નર્મદા જીલ્લા, ડેડીયાપાડા તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઈ વસાવા, ડો.દયારામભાઈ વસાવા, વકીલ હરિસિંહ વસાવા સહિત ડેડીયાપાડા તથા સાગબારા તાલુકાના આમ આદમી પાર્ટીના પાર્ટીનાં આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here