નર્મદા જિલ્લામાં તા.૨૩ મીના રોજ RTPCR ટેસ્ટમાં ૦૨ પોઝિટિવ કેસ નોંધાયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૦૨ દરદીઓને આજે રજા અપાઇ

નર્મદા જીલ્લા મા આજની સ્થિતિ એ માત્ર 3 જ પોઝિટિવ દર્દી ઓ જીલ્લા મા કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા નો આંક વધી 4289 ઉપર પહોંચ્યો

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૪૪,૨૪૮ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૧૩૧ જેટલાં જરૂરીયાત વાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૨૩ મી જૂન, ૨૦૨૧ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં ૦૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે સાથે કોરોના પોઝિટિવ દર્દી ઓ ની સંખ્યા આજદીન સુધી ની વધીને 4289 ઉપર પહોંચી છે , જોકે આજની સ્થિતિ એ નર્મદા જિલ્લા મા કુલ 3 જ પોઝિટિવ દર્દી ઓ સારવાર મેળવી રહ્યા છે .

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૦૨ દરદીઓને આજે રજા અપાઈ છે આમ, આજની સ્થિતિએ રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે હવે ૦૧ દરદી, હોમ આઈસોલેશનમાં ૦૨ દરદીઓ સહિત કુલ-૦૩ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૫૪૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૪૬૧ સહિત કુલ-૧૦૦૨ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજદિન સુધી શંકાસ્પદ-૧૦૩, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૩૨ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૮ દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૩ મી જૂન, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૪,પ૨૪૮ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૧૩૧ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૧૪૯૬૭ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૫૯૫૭૮ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here