નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે વધુ એક પોઝિટિવ કેસ નોંધાતાં ૧૦૩ ઉપર આંકડો પહોંચ્યો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળાના માછીવાડ ગણેશ ચોક ખાતે રહેતી મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ

સારવાર હેઠળના સાજા થયેલા કુલ ૨ દર્દીઓને આજે રજા અપાઇ : ૧ દર્દીને સુરત અને ૧ દર્દીને વડોદરા રિફર કરાતાં આજની સ્થિતિએ રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ ૧૧ દર્દીઓ સારવાર હેઠળ

ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલા ૨ સેમ્પલ પૈકી આજે ૧ સેમ્પલના રિપોર્ટ પોઝિટીવ અને ૬૧ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા : આજે ચકાસણી માટે કુલ ૪૧ સેમ્પલ મોકલાયા

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી તા. ૧૦ મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૨૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કોરોના વાયરસનો વધુ ૧ પોઝિટીવ કેસ નોંધાયો છે. જ્યારે રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ પૈકી કુલ ૨ દર્દીઓ સાજા થતાં આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ, આજદિન સુધી કોરોના વાયરસના નોંધાયેલા કુલ ૧૦3 દર્દીઓ પૈકી કુલ ૯૦ દર્દીઓ સાજા થતા તેમને રજા અપાતા ૧ દર્દીને સુરત અને ૧ દર્દીને વડોદરા રિફર કરાતાં આજની સ્થિતિએ રાજપીપળાની કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતે કુલ ૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ રાજપીપળાના માછીવાડ ગણેશ ચોક ખાતે રહેતી હમુખાબેન ગોપાલભાઈ માછી ઉ.વ. 62 નો રિપોર્ટ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલ જે આજરોજ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, ગતરોજ કુલ ૬૨ સેમ્પલ પૈકી ૬૧ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવેલ છે. જ્યારે ૧ સેમ્પલનો રિપોર્ટ આજે પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. આ મહિલા ને સારવાર માટે રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે રખાયા છે.

આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના કુલ-૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે આજે ૪૧ સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.

નર્મદા જિલ્લામાં આજે તા. ૧૦ મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૯,૦૯૦ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૬૩ દર્દીઓ, તાવના ૪૧ દર્દીઓ, ડાયેરીયાના ૩૧ દર્દીઓ સહિત કુલ -૧૩૫ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૮,૪૧,૦૮૦ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૩,૭૦,૬૪૩ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here