ધોરાજી શહેર ભાજપના પ્રતિનિધિ મંડળ દ્વારા ગાંધીનગર મુકામે વિવિધ પ્રશ્ર્નોની રજૂઆત

ધોરાજી,(રાજોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી શહેર ભાજપ ના આગેવાનો દ્વારા ગાંધીનગર મુકામે રાજ્ય ના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંધાણી ને ધોરાજી શહેર માં લાગું પડતા વિસ્તાર માં અંશાત ધારા વિસ્તૃત માં ચર્ચા કરી અને રજુઆત કરવામાં આવેલ તથા રાજ્ય નાં માર્ગમકાન મંત્રી શ્રી પૂર્ણશભાઈ મોદી ને ધોરાજી શહેર માં આવતા આર. એન. બી. વિભાગ માં જે રસ્તા ઓ આવેલ છે. તે તમામ રસ્તાઓ સી. સી. રોડ દરસાવવા માટે રજુવાત કરવામાં આવેલ તથા રાજ્ય નાં કૃષિ મંત્રી શ્રી રાધલજીભાઈ પટેલ ને ખેડૂતો નાં પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવેલ.

ધોરાજી શહેર ભા. જ. પ. પ્રમુખ વિનુભાઈ માથુકિયા, ઉપપ્રમુખ વિજય અંટાળા,કૌશિક વાગડીયા તથા મિહિર હિરપરા, અને તેમની સાથે રાજુભાઈ બાલધા, અશ્વિનભાઈ બાલધા, હરેશભાઈ કાછડીયા, તથા બ્રિજેશભાઈ કાંચા વિગેરે લોકો દ્વારા મંત્રી શ્રી. ઓને રજુઆત કરવામાં આવેલ અને આ તમામ પ્રશ્નો ના વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા માં આવે તેવી વિનંતી કરવામાં આવેલ.એમ ધોરાજી શહેર પ્રમુખ શ્રી. વિનુભાઈ માથુકિયા ની યાદીમાં જણાવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here