ધોરાજી : વિશ્વ હિન્દુ પરિષદ થતા બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદથતા બજરંગ દળ દ્વારા કોરોનાના બે વરસ બાદ રામનવમીની 41 ની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી

કોરોના મહામારીના બે વરસ બાદ ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજી ના દરેક સમાજના સહકારથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીની શોભાયાત્રા નિકળી ધોરાજી શહેરમાં ભગવાન રામજી લક્ષ્મણ અને સીતાજી રથમાં બિરાજી નગરચર્યાએ નીકળી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો કોરોના કારના બે વરસ બાદ ધોરાજી શહેરમાં 41મી રામનવમીની શોભાયાત્રા નિકળી હોય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

રામનવમી શોભાયાત્રા સવારે ૭ કલાકે રામમંદિર થી સ્ટેશન રોડ. ત્રણ દરવાજા. દરબાર ગઢ.સોનીબજાર. તેમજ જેતપુર રોડ જમનાવડ રોડ થયને રામમંદિર પુર્ણ કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here