ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-
ધોરાજી ભાજપના પ્રમુખ વિનેશ માથુકીયા તથા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પરેશ વાગડીયાએ એક અખબારી નિવેદનમાં જણાવેલ છે કે ધોરાજી પાલિકાની સામાન્ય સભા ગત તા. ૧૭ ના પાલિકાના ટાઉન હોલમાં મળી હતી. જેમાં ૩૬ માંથી ૨૯ સભ્યો હાજર હતા. સામાન્ય સભાની કાર્યવાહી અંતર્ગત ચીફ ઓફીસર દ્વારા એવી જાહેરાત કરવામાં આવેલ કે ૧૫ સભ્ય વિરૂદ્ધ ૧૪ સભ્યો દ્વારા એવું જાણવા મળેલ છે કે આ જાહેરાત થયા બાદ બોર્ડ મંજુર કરવામાં આવેલ છે. તો અમોને એવું લાગે છે કે રેકોર્ડ સાથે ચેડા કરવામાં આવેલ હોય એવું જણાય છે. આ વિષયે પ્રાદેશીક નિયામકને ફરિયાદ કરી અને સત્ય શું છે તેની તપાસ કરાવીશું અને ક્યાં કારણોસર આવું બન્યું તે વિગત બહાર લાવીશું.