ધોરાજી : નગર પાલિકામાં સફાઈ કર્મચારીઓની ભરતી રદ કરવાના સી.ઓ. ના લેટરને લઈ વિવાદ વકર્યો..

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

થોડા સમય પહેલાં ધોરાજી નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો ની ભરતી બાર પાડેલ હતી એ ભરતી કોઈ કારણોસર રદ થતાં તા.૨૩/૧૨/ ના રોજ ધોરાજી નગરપાલિકા ના લેટર પેડ પર ચીફ ઓફિસર સાહેબ દ્વારા અરજર ને જાણ કરેલ કે આ ભરતી રદ કરવામાં આવેલ છે. તે લેટર પેડ માં ભારતીય સંવિધાન વિરુદ્ધ અને ગેરકાનૂની શબ્દો નો ઉપયોગ કરેલો છે. અને સમગ્ર ગુજરાતના વાલ્મિકી સમાજ ની લાગણી દુભાય અને હળદુત થાય તેવા શબ્દો નો ઉપયોગ કરેલ છે. તાત્કાલિક પોલીસ તંત્ર અને સરકાર માં અરજી આપવા ના છીએ અને ફરીયાદ દાખલ કરવા ના છીએ જો અમારી ફરિયાદ દાખલ કરવામાં નહી આવે તો ના છુટકે જલદ આંદોલનો કરવા પડશે.અને ચીફ ઓફિસર ઉપર atrocity નો ગુનાઓ દાખલ કરવામાં નહી આવે તો સમગ્ર ગુજરાતમાં ચિફ ઓફિસર ના પુતળા નું દહન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here