ધાનેરા માં જલારામ બાપા ની 222મી જન્મજયતિ ની ઉજવણી કરવામાં આવી..

ધાનેરા,(બનાસકાંઠા) રમેશ ઠક્કર :-

આજ રોજ ધાનેરા માં જલારામ મંદિર ખાતે સંત શિરોમણી શ્રી પરમ પૂજ્ય જલારામ બાપાની કારતક સુદ સાતમ ને તારીખ 11.11.2021 નાં રોજ 222મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવેલ જેમાં ઠક્કર સમાજ ,સિંધી સમાજ, મહેશ્વરી સમાજ અને ખત્રી સમાજ તથા બીજા ઘણા સમાજ ના લોકો એ જલારામ બાપા નાં દર્શન નો લાભ લીધેલ .ભક્તો દ્વારા સવારે પૂજન અર્ચન , સંતો નું સ્વાગત, અને ત્યારબાદ સમૂહ આરતી અને ત્યારબાદ ભોજન પ્રસાદ રાખવામાં આવેલ. આ પ્રસંગે દરેક ભાવિ ભક્તો એ કોરોના ગાઇડ લાઇન મુજબ ભોજન પ્રસાદ નો લાભ લીધેલ.જલારામ બાપા નું વીરપુર એવું ધામ છે કે જ્યાં રોકડ રકમ સ્વીકારવામાં આવતી નથી તેમ છતાં ત્યાં વર્ષો થી અન્નક્ષેત્ર ચાલે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here