ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-
કોરોના સંક્રમિત દર્દીઓની જીવના જોખમે સેવા આપી
કોરોના વાઈરસ ની ગંભીર મહામારી વચ્ચે દિયોદર ખાતે જન સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું જેમાં અનેક ડોકટર્સ ટીમે નિઃશુલ્ક ભાવે સેવા આવી પરિસ્થિતિમાં પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં *ડો સાનિયા અશોકભાઈ ઠાકોર, રહે દિયોદર, બી એચ એમ એસ કલોલ* વગેરે ડોકટર્સ ટીમે સેવા આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું એક બાજુ કોરોના વાઈરસ ની મહામારી વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓ ને પૂરતી સેવા મળે તે માટે જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ડોકટર તરીકે નિઃશુલ્ક સેવા આપી પોતાના વતન ની ફરજ નિભાવી છે.