ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-
આજરોજ પુલવામા માં શહીદોને વીરાંજલિ આપવાનો કાર્યક્રમ યાત્રાધામ ચાંદોદ ના જુના માંડવા જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ તેમજ જાળાફળિયા યુવક મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજે જ્યારે કેટલાય લોકો પશ્ચિમી દેશોનું અનુકરણ કરી વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરી રહ્યા છે ત્યારે પવિત્ર યાત્રાધામ ચાંદોદ ના માંડવા જુથ ગ્રામ પંચાયત માં આવતા જાળાફળિયા યુવક મંડળના યુવકો તેમજ સરપંચ અલ્પેશભાઈ માછી ની આગેવાનીમાં પુલવામાં 40 ઉપરાંત સહિત થયેલા સી.આર.પી.એફના જવાનોને વિરાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં યુવાનો દ્વારા ૧૪મી ફેબ્રુઆરીને કાળા દિવસ તરીકે ઓળખાવી આપણા શહીદ વીરો ને વિરાંજલી આપવામાં આવી હતી. આ સાથે શહીદો અમર રહો ના નારા સાથે શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળી વીરગતિ પ્રાપ્ત કરનાર વીર સહિદો ને વિરાંજલી આપી હતી.