જવાહર નવોદય વિદ્યાલય-વેજલપુરના ધોરણ-૬માં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાને લાગતું અગત્યનું

વેજલપુર,(કાલોલ) મૂસ્તુફા મીરઝા :-

નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ ઉપરથી પ્રવેશ પત્રો ડાઉનલોડ કરી શકાશે

જવાહર નવોદય વિદ્યાલય, વેજલપુર-પંચમહાલના આચાર્યની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ૩૦ એપ્રિલ, ૨૦૨૨ના રોજ યોજાનાર ધોરણ-૬ની પ્રવેશ પરીક્ષા માટેના પ્રવેશ પત્ર સમિતિની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. અરજીપત્રક નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ https://navodaya.gov.in/nvs/en/Home1 પર આપેલ લિંક https://cbseitms.nic.in/ પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાશે, જેની દરેક વિદ્યાર્થી, વાલી, જે તે શાળાના શિક્ષકો તથા આચાર્યશ્રીઓને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે. ડાઉનલોડ કરેલા પ્રવેશ પત્ર ઉપર સંબંધિત શાળાના (ધોરણ પાંચમાં જે શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના )આચાર્યશ્રીના સહી-સિક્કા કરાવવાના રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here