જવાહર નવોદય વિદ્યાલય ધનસુરા ખાતે ધોરણ નવ માં ખાલી પડેલી જગ્યાઓ સામે પ્રવેશ માટેની લેટરલ એન્ટ્રી પરીક્ષા ૨૦૨૩ ની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫-૧૦-૨૦૨૨ છે

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

પ્રવેશ મેળવવા માટેની લેટરલ એન્ટ્રી પરીક્ષા 2020 તારીખ -૧૧-૦૨-૨૦૨૩ ને શનિવારના રોજ યોજાશે

અરવલ્લી જિલ્લાની ધોરણ-૮ ધરાવતી તમામ શાળાઓમાં ધોરણ ૯ માં પ્રવેશ માટેની લેટરલ એન્ટ્રી પરીક્ષા ૨૦૨૩ આપવા માટે ઓનલાઈન અરજી કરવા બાબતની ઉપરોક્ત માહિતી મોકલી આપવા અને જિલ્લામાંથી વધુ ને વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષામાં બેસી અને સરકારશ્રીની આ ઉમદા યોજનાનો લાભ લે તે માટે સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણઅધિકારીસાહેબશ્રીઓ,હેડમાસ્ટરશ્રીઓ,
આચાર્યશ્રીઓ,વગેરેને જરૂરી સુચના સત્વરે થવા વિનંતી છે. પ્રવેશ પરીક્ષા અંગેની વિસ્તૃત નોટિફિકેશન અને અન્ય કોઇપણ માહિતી માર્ગદર્શન માટે નવોદય વિદ્યાલય સમિતિ ની વેબસાઈટ ચેક કરી શકો છો.www.navodaya.gov.in અને www.nvsadmissionclassnine.in દ્વારા વિનામૂલ્યે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here