છોટાઉદેપુર, સકીલ બલોચ :-
તહેવારોને ધ્યાને રાખી આજરોજ છોટાઉદેપુર ખાતે નવરાત્રી અંતર્ગત શાંતિ સમિતિની બેઠક મળી હતી.
જેમાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિવિધ વિસ્તારોમાં દર વર્ષની જેમ માઁના નવલા નોરતાની વિવિધ વિસ્તારો ખાતે યોજાતી નવરાત્રી મહોત્સવના સંચાલકો આયોજકો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની આ બેઠક મળી હતી.
જેમાં છોટાઉદેપુર પોલીસ પીઆઈ વનરાજ કામલિયા પીઆઈ સહિત અન્ય સ્ટાફ, તેમજ GEB ના અધિકારી રચના બેન અને નવરાત્રી મહોત્સવના આયોજકો અગ્રણીઓ તેમજ તમામ ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. સરકારની ગાઈડ લાઈન મુજબ પરિસ્થિતિને ધ્યાન રાખી જતા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ફરજના ભાગે પોલીસ તંત્ર એલર્ટ રહી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને દર વર્ષની જેમ શાંતિ પૂર્વક તહેવારોનો આનંદ ઉત્સવ સાથે માઁ ના નવલા નોરતાની પૂજા પાઠ પ્રાર્થના અર્ચના આરતી સાથે શ્રધ્ધાળુઓ શ્રધ્ધાપૂર્વક ધાર્મિક તહેવાર નવરાત્રી મહોત્સવમાં દર વર્ષની જેમ ઉજવણી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.