છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-
આજરોજ છોટાઉદેપુરની સરસ્વતી પ્રાથમિક માધ્યમિક શાળા ખાતે વિગ્નાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કે જી થી લઈને ધોરણ દસ નાં બાળકોએ પ્રદુષણ પર્યાવરણ પાણી ની બચત ટ્રાફિક ની સમસ્યા જેવા વિષયો પર ખુબજ આકર્ષક કૃતિઓ બનાવી બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું આ વિગ્નાન મેળાને વધુ આકર્ષિત બનાવવા શાળા ના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા ખુબ ધ્યાન પુર્વક મહેનત કરવામાં આવી હતી સંસ્થા ના મંત્રી રમેશ ચંદ્ર ખત્રી એ કાર્યક્રમમાં હાજરી આપી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી.