ઘોઘંબા, (પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-
ઘોઘંબા તાલુકાના રાજગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ જે.બી.ઝાલાના અધ્યક્ષ સ્થાને આજ રોજ શાંતિ સમિતીની બેઠક મળી હતી જેમાં દશામા અને મોહરમના તહેવાર આવતા હોય તે માટે રાજકીય આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના આગેવાનો આયોજકો તથા રાજગઢ પાલ્લા અને ઘોઘંબાના મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને સમાજમાં ભાઇ ચારો અને શાંતિ જળવાઈ રહે તેની ખાતરી આપી હતી.