ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-
સમગ્ર ભારત દેશની શાળાઓમાં ૦૫ સપ્ટેમ્બરને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, ફિલોસોફર,શિક્ષક તથા ભારતરત્નથી સન્માનિત ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિનને ‘શિક્ષક દિન તરીકે ઉજવાય છે.
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પ્રતિષ્ઠિત તથા બાળકોની વિશાળ સંખ્યા ધરાવતી શાળા એવી ધી ઇકબાલ પ્રાથમિક શાળામાં આજ રોજ વિભાગ ૦૬થી ૦૮ના બાળકોએ શાળાના મુખ્ય શિક્ષક હાજી ઇદરીસ બડંગા સાહેબ તથા શિક્ષકગણના સહિયારા પ્રયાસથી પૂર્વ તૈયારી સાથે હર્ષ અને ઉલ્લાસભેર એક દિવસીય શિક્ષક શિક્ષિકાની ભૂમિકા ભજવી હતી તથા ભવિષ્યમાં આદર્શ શિક્ષક શિક્ષિકા બની દેશની ઉન્નતિમાં સહભાગી થવા સંકલ્પ લીધો હતો.
અંતે શાળાના મુખ્ય શિક્ષક દ્રારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરી સૌનો આભાર માની કાર્યક્રમ સમાપ્ત કરાયો હતો.