કાલોલ શહેર સ્થિત ગણેશ મંડળોની મુલાકાલ લઈ આરતી ઉતારતા રાજકીય આગેવાનો…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ નગરમાં ઉજવાતા ગણેશ મહોત્સ્વ નિમિત્તે ગણેશ મંડળો ની મુલાકાત લઈ શ્રી ગજાનન ભગવાનની પુજા-અર્ચના તથા આરતી કરવાનું અને હનુમાન ચાલીસા પાઠ માં ભાગ લેવા પધારેલ કાલોલ ભાજપના અગ્રણી આગેવાનો જેમાં પંચમહાલ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજપાલસિંહ જાદવ,કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર,સંજયસિંહ રાઠોડ કિસાન મોરચા પ્રદેશ સભ્ય,કાલોલ શહેર મહામંત્રી હર્ષ કાછીઆ અને જીલ્લા એસી મોરચા મંત્રી ડો સુનીલ પરમાર, હીતેશભાઈ તલાટી,પરમાર નરેદ્રભાઈ, પિયુષભાઈ પ્રકાશભાઈ જીસુ,હસમુખભાઈ, દીનેશભાઈ,સચીન,રવિ, રજની,દશરથભાઇ વગેરે એ કાલોલ શહેરની વૈભવ લક્ષ્મી સોસાયટી, કાછીયા વાડ, સુથાર ફળિયા, ફ્રેન્ડસ ગ્રુપ, નવાપુરા, સ્ટેશન રોડ, હાઉસિંગ સોસાયટી જેવા વિસ્તાર નાં ગણેશ પંડાલ માં પધારી વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here