કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-
કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ગઘુસર રોડ પ્લોટ વિસ્તારમાં સેન્ટ્રો કારમાં ગૌતસ્કરોની ચોક્કસ બાતમીના આધારે ગયેલી પોલીસ કાફલા ઉપર ગૌતસ્કરો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં વેજલપુર પી.એસ.આઇ. આર ડી ચૌધરીને પથ્થરમારામાં નાની મોટી ઈજાઓ થવા પામી હતી. તેમજ પોલીસ ગાડી ને પણ પથ્થરો દ્વારા નુકસાન થયું જોવા મળ્યું હતું.વેજલપુરમાં આંતક મચાવનાર ગૌતસ્કરો અને પોલીસનો આમનો સામનો થયો હતો જેમાં તસ્કરોએ પોલીસ ટીમ પર પથ્થરમારો કરી અને સેન્ટરો ગાડી ચલાવવાનો પ્રયાસ કરી પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો આમ આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ સમગ્ર આ ઘટનાની જાણ જિલ્લામા તથા 20 થી 25 પોલીસની ગાડીઓનો કાફલો વેજલપુર મથકમાં આવી પહોંચ્યો હતો ગૌતસ્કરોની શાન ઠેકાણે લાવવા ફરાર થયેલા તસ્કરોને ઝડપવા માટે તમામ દિશામાં તપાસ હાથ ધરી રહી છે..