કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ તાલુકાના બીઆરસી ભવન કાલોલમાં બીઆરસી કૉ ઑર્ડિનેટર દિનેશભાઈ પરમાર ની અધ્યક્ષતામાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં બ્લોક સ્ટાફ તથા સીઆરસી કો ઑ નરેન્દ્રભાઈ, નિતિનભાઇ તથા કુમાર શાળાના આચાર્ય રાકેશભાઈ તથા પરસોત્તમભાઈ, દિનેશભાઈ કાતોલ પ્રાથમિક શાળા આચાર્ય સંજયભાઈ, તથા મુકેશભાઈ કાલોલ કન્યા શાળાના ધર્મિષ્ઠાબેન, પલાસા પ્રાથમિક શાળા ના નિરજભાઈ એમ.જી.એસ. હાઈસ્કૂલમાંથી સુરેશભાઈ સંગાડા વગેરે ઉપસ્થિત રહ્યા. સૌ પ્રથમ ડૉ.બાબા સાહેબ આંબેડકરની છબીને હાર પહેરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ ભારતીય સંવિધાનના આમુખનું વાંચન કરવામાં આવ્યું.
અંતમાં દિનેશભાઈ પરમાર દ્વારા સૌ પોતાનો કિંમતી સમય આપી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ મિત્રોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.