સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
ઐતિહાસિક નગરી સિદ્ધપુર માં ભારતીય જનતા પાર્ટી દ્વારામા. કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહજી ચૌહાણની આગેવાની હેઠળ જન આશીર્વાદ યાત્રા નીકળવામાં આવી હતી. પાટણથી પ્રારંભ થયેલ “જન આશીર્વાદ યાત્રા” અંતર્ગત તાલુકાના ડેર ગામે થઈ સિદ્ધપુર મુકામે પહોંચી હતી જ્યાં કાર્યકરો દ્વારા ઉમળકા ભેર સ્વાગત કરાયું હતું બાદ માં માર્કેટયાર્ડ ખાતે જાહેર સભામાં ફેરવાઈ હતી આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ તેમજ જીઆઈડીસી નિગમના ચેરમેન બલવંતસિંહ રાજપુતએ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કરેલ વિવિઘ કામોની વિસ્તૃત માહિતી આપી હતી અને યાત્રામાં હાજર રહેલ કાર્યકર્તાઓ તેમજ જનતાનો ઉત્સાહ ભાજપ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે તેવું જણાવ્યું હતું. આ યાત્રામાં ગોરધનભાઈ ઝડફીયા, રજનીભાઈ પટેલ,વાસણભાઈ આહિર,દિલીપભાઈ ઠાકોર, ભરતસિંહ ડાભી, ગોવિંદભાઈ પટેલ શ્રીમતી નોકાબેન પ્રજાપતિ, દશરથજી ઠાકોર, શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, કે.સી.પટેલ, મયંકભાઈ નાયક, ભાવેશભાઈ પટેલ, મનીષભાઈ આચાર્ય, જસુભાઇ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, શ્રીમતીકૃપાબેન આચાયઁ,અશોકભાઈ પટેલ, વિનુભાઈ પ્રજાપતી, ચીનુભાઈ બ્રહમભટ્ટ,વિક્રમસિંહ ઠાકોર તથા વિશેષ અગ્રણીઓ તેમજ કાર્યકર મિત્રો તેમજ મહિલા મોરચા ની બહેનો ની વિશેષ ઉપસ્થિતી રહી હતી.