મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-
આ પ્રસંગે વિદ્યાર્થીઓને આશીર્વચન આપવા માટે કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે શ્રી ડી.કે.વાઘેલા (ટાઉન પી.આઈ. મોડાસા), મુખ્ય મહેમાન તરીકે શ્રી જે.એચ.ચૌધરી (પોલીસ સબ ઇન્સ્પેકટર, નેત્રમ શાખા, એસ.પી.ઓફીસ, અરવલ્લી) તથા કાર્યક્રમ અધ્યક્ષ શ્રી બિપીન ર. શાહ (પ્રમુખ, મોડાસા કેળવણી મંડળ) તથા મોડાસા કેળવણી મંડળના સૌ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. પરીક્ષામાં બાળકો કોઈપણ પ્રકારના ડર ન અનુભવે, સ્વસ્થ મન સાથે પરીક્ષા આપે, જે કરો તે બેસ્ટ કરો, પોતાની જાતમાં વિશ્વાસ રાખો, પોતાની જાતને પ્રેમ કરો, જેવી વાતો દ્વારા મોટીવેશનલ વક્તવ્યો આપવામાં આવ્યા હતા.