- નર્મદા ડેમમાં 328242 ક્યુસેક પાણીના ઇન્ફલો સામે કુલ 1.15 લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો
- હવે ડેમના માત્ર 10 દરવાજાથી 0. 85 મીટરે ખૂલ્લા રાખી દરવાજા મારફત 55 હજાર ક્યુસેક અને રિવરબેડ પાવર હાઉસમાંથી 40 હજાર ક્યુસેક સહિત 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહયુ છે
- નર્મદા ડેેેમ 138 મીટર સુધી ડેમ ભરવા સરકાર કટિબદ્ધ
રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે પાણી ની ભારે આવક થઇ રહી છે , ડેમ ને 138 મીટર સુધી ભરવાં સરકાર કટિબદ્ધ હોવાનું રાજય સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કરેલ છે ત્યારે હાલ ડેમ માથી પાણી છોડવાના પ્રમાણ મા ધટાડો કરી દેવામાં આવેલ છે.
આજે તા. 2 જી સપ્ટેમ્બર, 2020 ને બુધવારના રોજ સવારે 8-00 કલાકથી ઇન્દીરા સાગર ડેમમાંથી સાંજના 4-00 વાગ્યા સુધી સતત 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી છેલ્લા બે-ત્રણ કલાકથી 3 થી 3.5 લાખ ક્યુસેક જેટલું પાણી નોંધાઇ રહ્યું છે. આજે સાંજે 6-00 કલાકે ડેમની જળસપાટી 133.88 મીટરે નોંધાવા પામી હતી.
સવારે 8- 00 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમના જે 23 દરવાજા ખૂલ્લા હતા, જે સાંજે 6-00 કલાકે ફ્કત 10 દરવાજા 0.85 મીટર ખૂલ્લા રાખી 55 હજાર ક્યુસેક જેટલું પાણી ડેમના દરવાજામાંથી ભરૂચ તરફ વહી રહ્યું છે. આ ઉપરાંત રિવર બેડ પાવર હાઉસના 6 યુનિટ દ્વારા 1200 મેગાવોટ વીજળી ઉત્પન્ન કર્યા બાદ 40 હજાર ક્યુસેક જેટલું પાણી ભરૂચ તરફ વહી રહ્યું છે. આમ, ભરૂચ નર્મદા નદી મા કુલ 95 હજાર ક્યુસેક પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાં 150 મેગાવોટ વિજળી ઉત્પન્ન કર્યાબાદ 15 હજાર ક્યુસેક પાણી મુખ્ય કેનાલ તરફ વહી રહ્યું છે.આજે સાંજના 6-00 કલાકની સ્થિતિએ નર્મદા ડેમમાં 328242 લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે કુલ 1.15લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો છે.
આમ હવે મિટીઓરોલોજીકલ (IMD) વિભાગની આગાહી મુજબ આવતા પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી ન હોવાથી નર્મદા નદીમાં પુર આવવાની કોઇ શક્યતા જણાથી નથી તેમ નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી અશોક ગજ્જર તરફથી જાણકારી પ્રાપ્ત થઇ છે.