પંચમહાલ જિલ્લાના વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા(પંચમહાલ)

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકાના ગીતેલી પ્લોટ, નવરંગ સોસાયટી, સૂફી મસ્જિદ ખાલપા પ્લોટ, ડબગરવાસ, ગોધરા તાલુકાના હરકુંડી, હાલોલ તાલુકાના તરખંડા અને કાલોલ તાલુકાના દેલોલના ભટ્ટવાડા વિસ્તારના કન્ટેઈન્મેન્ટ વિસ્તારોનો સમાવેશ થાય છે. ડબગરવાસના ઝોનમાં ૨૩મી જૂનના રોજ, તરખંડાના ઝોનમાં ૨૪મી જૂનના રોજ તેમજ ગીતેલી પ્લોટ, નવરંગ સોસાયટી, ખાલપા પ્લોટ, હરકુંડી અને ભટ્ટવાડા વિસ્તારના ઝોનમાં છેલ્લો કોરોના પોઝિટીવ કેસ ૦૪ જુલાઈ, ૨૦૨૦ના રોજ મળી આવ્યો હતો. આ સાથે જ આ વિસ્તારોના ૧૨૭ ઘરોના ૪૧૨ વ્યક્તિઓ ક્લસ્ટર ક્વોરેન્ટાઈનના નિયંત્રણોથી મુક્ત થયા છે. જિલ્લામાં હાલની સ્થિતિએ કુલ ૩૩૨ વિસ્તારો સંક્રમણના કેસો મળવાના પગલે કોરોના પ્રભાવિત વિસ્તારો તરીકે નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યા છે, જે પૈકી કુલ ૧૧૪ વિસ્તારોને છેલ્લા ૨૮ દિવસમાં સંક્રમણનો કોઈ કેસ ન મળવાના પરિણામે ક્લસ્ટરમુકત જાહેર કરી દેવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here