નર્મદા:૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા:તિલકવાડાના ૭૮ વર્ષીય વૃદ્ધનું કોવિડ હોસ્પિટલ ખાતે મોત

તસ્વીર

નર્મદા જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 467 પર પહોંચી

ગતરોજ એક મહિલાનું રાજપીપળા સરકારી દવાખાનામાં પણ મોત નીપજ્યું

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે હાલ કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે આજે નર્મદા જિલ્લામાં ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે

નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં રાજપીપળામાં દરબાર રોડ ૧, વડિયા પેલેસ ૧, હાઉસિંગ બોર્ડ ૧ કોરોના પોઝિટિવ નોંધાયા છે ઉપરાંત નાંદોદ તાલુકાના વાવડી ૨, કરાઠા ૨, અમલેથા ૧, વડિયા ૧ ડેડીયાપાડા તાલુકાના કોલીવાળા ૧ અને ડેડીયાપાડામાં ૧ આમ જિલ્લામાં કુલ ૧૧ પોઝિટિવ દર્દી નોંધાયા છે

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૨૪ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટરમાં ૩૦ દર્દી દાખલ છે આજે ૯ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૪૦૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથે જ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો ૪૬૭ એ પોહોચ્યો છે આજે વધુ ૨૬૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

આજે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં તિલકવાડાના ચીમનભાઈ લક્ષમાનભાઈ રોહિત ૭૮ વર્ષીય વૃદ્ધ નું મોત નીપજ્યું છે આરોગ્ય તંત્ર તરફથી મળતી માહિતી મુજબ તેઓ ૧/૦૮/૨૦૨૦ ના રોજ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ૮/૦૮/૨૦૨૦ ના રોજ તેમનું મૃત્યુ થયું છે.

રાજપીપળાના સરકારી દવાખાનામાં પણ એક મહિલાનું બિમારી દરમ્યાન દાખલ કરવામાં આવતા મોત નિપજ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here