હરે કૃષ્ણ હરે રામ ઇસ્કોન મંદિર વડોદરા થી ભક્તો /સંતગણનું બોડેલી શહેર ખાતે આગમન

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આજે તારીખ 5-11-2023 ના રોજ દિવસે હરે કૃષ્ણ હરે રામ ઇસ્કોન મંદિર વડોદરા થી ભક્તો /સંતગણ નું બોડેલી શહેર ખાતે આગમન થયેલ હતું.સત્સંગમાં વિદેશથી પધારેલા ખાસ કરીને રશિયા યુકેનના સંતો પણ પધારેલ હતા જેમાં
1️⃣ઓજસ્વી શામદાસ પ્રભુ (સાઇબેરીયા – રશિયા)
2️⃣આનંદ ગોપાલદાસ પ્રભુ
(યુક્રેન)
3️⃣આનંદ પ્રેમદાસ પ્રભુ (કઝાકિસ્તાન)
4️⃣હરિદેવદાસ પ્રભુ (રશિયા)
વિશેષ લોકાર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
બોડેલી ના સ્થાનિક લોકોએ તેઓની સાથે ખુબ ઉત્સાહપૂર્વક સંકીર્તન યજ્ઞમાં ભાગ લીધો અને બોડેલી ની ગોપેશ્વર મહાદેવ મંદિર અલીપુરા થી પૂર્વ સંધ્યાએ વિવિધબોડેલીનગર ની શેરીઓમાં ફરતા ફરતા અંતે શ્રીરામ કબીર હોલ બોડેલી ખાતે સંકીર્તન નો કાર્યક્રમ ઉજવાતા સંપૂર્ણ વાતાવરણ અલ્હાદક તથા ક્રિષ્નમઇ બનવા પામ્યું હતું. પૂર્વ સધ્યાએ હરે કૃષ્ણ હરે રામની ધૂન થી બોડેલી બજારનું સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું હતું. જ્યાં લોકોએ ભગવદ ગીતા રામાયણ કૃષ્ણ લીલા અને અન્ય અનેક નાના નાના પુસ્તકો નું વિતરણ કરવામાં આવેલ. હરિનામ સંકીર્તન શ્રીરામ કબીર હોલબોડેલી ખાતે સત્સંગનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો હતો. સત્સંગ બાદ સંતોએ સ્વયં તૈયાર કરેલ પ્રસાદીને ગ્રહણ કરી સૌ ભક્તજનો ધન્ય બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here