સિધ્ધપુરના સરસ્વતિ પુલના નીચે યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર…

સિદ્ધપુર,(પાટણ) આશિક કુમાર પાધ્યા :-

સિદ્ધપુર હાઈવે પરના સરસ્વતિ નદી ના પુલ નીચે મૃત યુવાન ની લાશ પડી હોવાની બાતમી પોલીસ ને મળતા સિદ્ધપુર પીઆઈ સહિતનો પોલીસ કાફલો સત્વરે ઘટનાસ્થળે ધસી ગયો હતો.બાદ માં પોલીસે ઘટના સ્થળનું અને લાશનું પંચનામું કરી ડેડબોડી ને પીએમ અર્થે સિવિલ મોકલી આપી હતી.મૃતક સિદ્ધપુરનો હોવાનું તેમજ પ્રાથમિક રીતે જોતા તેનું મર્ડર થયુ હોવાની ચર્ચાએ લોકોમાં જોર પકડ્યું હતું. જોકે સાચી વિગતો પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકશે.ઘટના ની ગંભીરતાને અનુલક્ષી પાટણ એસપી અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ આજરોજ સવારે સિદ્ધપુર હાઈવે પર આવેલ સરસ્વતિ નદીના પુલ નીચે એક લાશ પડી હોવાની મળેલ હકીકતે પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી.ઘટનાસ્થળે પોલીસે તપાસ કરતા આ લાશ ગોવિંદભાઈ જેઠા ભાઈ પરમાર,ઉ વ.૪૬ રહે. પરમાર ની ચાલી,જય અંબે ચોક,સિદ્ધપુરવાળાનો મૃતદેહ હોવાની ઓળખ થવા પામી હતી.મૃતકની લાશને જોતા તેના માથાના પાછળના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઈજાઓ થઈ હોવાનું તેમજ લોહી નીકળ્યું હોય એવું દેખાતું હતું.આમ,આવી ગંભીર પ્રકારની ઈજાઓ જોતા આ ઈસમના મોત અંગે અનેક પ્રકારની શંકા-કુશંકા લોકમુખે પ્રવર્તી રહી છે.આ અંગેની સાચી હકીકત તટસ્થ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે તે ચોક્કસ છે.અત્રે ઉલ્લેખનીય છે કે પોણા ત્રણ માસ અગાઉ વાલકેશ્વર મહાદેવ મંદિર ની સામે નદી ના પટ માંથી પણ એક ૪૦ વર્ષીય અજાણી યુવતી ની શરીરે ઈજાઓ પામેલી લાશ ભરબપોરે જાહેર રોડની બાજુમાંથી મળવા પામી હતી.આ મૃતક યુવાન ની મળેલી લાશ અંગે સિદ્ધપુર પોલીસે ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here