સિદ્ધપુર સરસ્વતી પુલ પર અજાણ્યા વાહનની ટકકરે એક્ટિવા પાછળ બેઠેલ મહિલાનું મોત નીપજ્યું

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

મગરવાડા મણીભદ્રવીર દાદાના દર્શન કરીને પરત ફરતા પાટણના દંપતીને નડ્યો અકસ્માત..

સિદ્ધપુર હાઈવે સરસ્વતી પુલ પાસે અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારતા એક્ટિવા પાછળ મહિલાનું કરુંણ મોત નીપજ્યું હતું. આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે મરણ જનારના પુત્રની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
સિદ્ધપુર હાઈવે પર બિંદુ સરોવર પીકઅપ સ્ટેન્ડ નજીક સરસ્વતી પુલ પાસે રાત્રીના આશરે સાડા દસ કલાકે પાટણ મુકામે રહેતા લલિતભાઈ ત્રિવેદી અને તેમના ધર્મપત્ની આરતી બેન મગરવાડા મણીભદ્ર વીર દાદાના દર્શન કરી એક્ટિવા પર પરત જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવતા કોઈ અજાણ્યા ખટારાએ ટક્કર મારતા આરતીબેન,ઉ.વ.૫૮નું મોત નીપજ્યું હતું.જ્યારે લલિત ભાઈને પણ ઈજાઓ થવા પામી હતી.બાદમા ૧૦૮ ઇમરજન્સી દ્વારા બન્નેને સારવાર અર્થે તાત્કાલિક સિદ્ધપુર સિવિલ ખસેડાયા હતા.જ્યાં ફરજ પરના તબીબે આરતીબેનનો મૃત જાહેર કરી તેમની લાશને પીએમ રૂમમાં રાખી હતી. લલિતભાઈને પાંસળીના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને વધુ સારવાર અર્થે પાટણ ખસેડાયા હતા.આ અંગે મૃતકના પુત્ર રવિ ત્રિવેદી,હાલ રહે ઈડર રાજવંશી સોસાયટીવાળા ની ફરિયાદના આધારે સિદ્ધપુર પોલીસે ઈપીકો ૨૭૯,૩૦૪(અ),૩૩૭, એમવી એકટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધી અજાણ્યા વાહનને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here