સિદ્ધપુર, (પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
વર્કશોપ કર્મીઓ પાલનપુર વિભાગના પ્રમુખ-મહામંત્રીની હાજરીમાં ઉત્સાહભેર કર્મચારી મંડળમાં જોડાયા
ત્યાગ,તપસ્યા અને બલિદાનના રૂપકડા સુત્રને ચરિતાર્થ કરવાના બદલે તેના વિરોધમાં કામ કરતા બીએમએસના હોદેદારોના કામોથી કંટાળી સિદ્ધપુર એસટી વર્કશોપના આર્ટ એ ગમાનસિંહ,સત્તરસિંહ,વી.ઈ., મહંમદભાઈ,યોગેશ પટેલ સહિત વર્કશોપના તમામ કર્મીઓ રાજકારણ ના ચાણક્ય ગણાતા કર્મચારી મહામંડળના પ્રમુખ રણજીતસિંહ હડિયોલ અને કુશાગ્ર બુદ્ધિ ચાતુર્ય ધરાવતા મહામંત્રી રાજુભાઈ દેસાઈની કુશળ સંગઠનશક્તિમાં વિશ્વાસ મૂકીને ઉત્સાહભેર કર્મચારી મહામંડળમાં જોડાયા હતા. આ પ્રસંગે પાલનપુર વિભાગ કર્મચારી મહામંડળ ના પ્રમુખ રણજીતસિંહ હડીયોલ (બાપુ),મહામંત્રી રાજુભાઈ દેસાઈ,નરસિંહ ભાઈ ઝૂંડાલ (ડિરેકટર), વિજયસિંહ વર્કશોપ યુનિટમંત્રી અને અલ્પેશ ભાઈ જોશી ૯૬/ક, વર્કશોપ-પાલનપુર સહિત સિદ્ધપુર ડેપોના ૯૬/ક લક્ષ્મણસિંહ ટી.રાજપુત, સંગઠન મંત્રી મનોજભાઈ પટેલ,કંડકટર પ્રતિનિધી પ્રકાશ દેસાઈ સહિતના આગેવાનોએ મંડળમાં જોડાનાર સર્વે નવીન સભ્યોને આવકાર્યા હતા. કર્મચારી મંડળમાં પ્રમુખ રણજીતસિંહ હડિયોલ તેમજ રાજુભાઈ દેસાઈની કામદાર તરફી પ્રશંસનીય કાર્યશૈલીથી પ્રેરાઈને તેમજ તેમનામાં વિશ્વાસ મૂકી જોડાનાર તમામ આગેવાનો,કર્મચારીઓનો માન-મોભો અને મર્યાદા જળવાઈ રહેશે તેવી આગેવાનો તરફથી અપાયેલી ખાતરીને સર્વે ઉપસ્થિતોએ હર્ષભેર વધાવી લીધી હતી.