સિદ્ધપુર અરવડેશ્વર મહાદેવ મંદિરમાં ૪૬ વર્ષથી ચાલતી ૐ નમ: શિવાયની અખંડ ધૂન

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુરમાં સરસ્વતિ નદી ના પૂર્વ કિનારે પ.પૂ.દેવશંકર બાપાની તપોભૂમિમાં એવા સ્વયંભૂ શ્રી અરવડેશ્વર મહાદેવ માં બાપા ના વચન ને અનુસરી દર વર્ષે શ્રાવણ માસના વદ નોમ થી અમાસ સુધી કરાતી ૐ નમ:શિવાય મહામંત્રની ૨૪ કલાક ચાલતી અખંડ ધૂન ની પ્રતિવાર્ષિક પરંપરા સીમીત ભક્તો સાથે આ વર્ષે પણ ભક્તિભાવપૂર્ણ જાળવવામાં આવી છે. છેલ્લા ૪૬ વર્ષથી અવિરત ચાલતી આ ધૂન કરતી વખતે ભક્તો ભોળાનાથની ભાવપૂર્વક પ્રદક્ષિણા કરતા હોય છે.આ ધૂનમા દર ત્રણ કલાકે ટુકડીમાં ભક્તો જોડાતા હોય છે.આ ભક્તમંડળી દ્ધારા તબલા, મંજીરા,ડમરુ અને ઢોલ સાથે તાલબદ્ધ રીતે અલગ-અલગ ભજનો સાથે ધૂન કરવામાં આવે છે.આ અખંડ ધૂન થકી આજુ-બાજુનું સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જતું હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here